રાષ્ટ્રીય સંત પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રમાં સતત યોગદાન આપનારા પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર શહેર તેમજ દેશ-વિદેશમાં અનેક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.

તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એજ ઉપક્રમમાં વર્ષે પણ સેવા દિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.

શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, વર્ધાપનપૂજા, એવં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રપાઠ

તા. ૩૧-૦૮-૨૦૨૪, શનિવારે સવારે ગુરુજનો એવં ઋષિકુમારો દ્વારા વિધિવત્ પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રીહરિમંદિરમાં ધ્વજાપૂજનવિધિ કરવામાં આવી અને સર્વેશિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ. આ સાથે સુસંકલ્પપૂર્વક શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો આદરણીય શ્રી હરિપ્રસાદ બોબડેજી, આચાર્યશ્રી બિપિનભાઈ જોષી એવં અન્ય ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા વર્ધાપન પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી. આ સાથે ઋષિકુમારો દ્વારા સામૂહિક વિષ્ણુસહસ્રનામસ્તોત્રના પાઠ પણ કરવામાં આવ્યા હતા.

૬૮ દીપ પ્રજ્વલન
પૂજ્ય ભાઈશ્રીના ૬૮મા પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનના સાન્નિધ્યમાં ગુરુજનો, ટ્રસ્ટીશ્રીઓ, ભાવિકો અને ઋષિકુમારો દ્વારા ૬૮ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા. આ મંગલ અવસરે સાંદીપનિ પરિવારના અતિથીઓ અને પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ તથા ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટય દિવસ નિમિત્તે સામૂહિક સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો તેમજ આ સાથે ઔદિચ્ય ગોહિલવાડીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રી ગિરિશભાઈ વ્યાસ, યોગેશભાઈ જોષી, ડૉ. સુરેશભાઇ ગાંધી સાહેબ, ડૉ. ભરતભાઈ ગઢવી તથા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

 

સેવાકીય પ્રવૃત્તિઓ

પોરબંદરની સંસ્થાઓમાં મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટ્યોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં જી.આઇ.ડી.સી. માં રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં બાળકોને, પ્રાગજી આશ્રમ (ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ)માં રહેતા તમામ મનોરોગીઓને, છાયા ખાતે આવેલ ગાંધી આશ્રમના માનસિક દિવ્યાંગ તમામ બાળકોને, સ્વ.ચંદ્રકાન્તભાઈ જોષીની શિશુ કુંજમાં રહેતા તમામ બાળકોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આપવામાં આવ્યું હતું.

 

 

 

અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં સાંદીપનિ દ્વારા ભોજન સહાય

આ સિવાય પોરબંદરમાં અતિવૃષ્ટિના લીધે પુરગ્રસ્ત વિસ્તારના લોકોને જે-જે આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલ હતા તે તમામ આશ્રયસ્થાનોમાં આજે સેવાદિવસના ભાગરૂપે સાંદીપનિ સંસ્થાના ઋષિકુમારો દ્વારા રૂબરુ સ્થળ પર જઇને ૧૩૦૦ જેટલા લોકોને ગરમ ગરમ ભોજન પુરુ પાડવામાં આવેલ હતુ તથા પુરપીડિત લોકો માટે બુંદી-ગાંઠિયાના ૨૦૦૦ ફુડ પેકેટ્સ તૈયાર કરી વહીવટીતંત્રને સોંપવામાં આવેલ હતા

 

 

વૃક્ષારોપણ
વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો પહેલેથી જ રૂચીનો વિષય રહ્યો છ. આથી પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ પરિસરમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ, પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને રાજકોટની જાણીતી સંસ્થા સદ્દભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં પોરબંદરના મહાનુભાવો, સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

 

 

આજના સેવાદિવસ નિમિત્તે સાંદીપનિમાં આ અવસરે ડૉ. સુરેશભાઇ ગાંધી, મોસ્ટ સિનિયર ફીઝીશ્યન, સાંદીપનિ સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. ભરતભાઈ ગઢવી, રાજર્ષિ ડો. વિરમભાઈ ગોઢાણિયા, શ્રી ભરડા સાહેબ, ડાયરેક્ટરશ્રી ગોઢાણિયા કોલેજ, શ્રી અનિલભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી ભરતભાઈ રાજાણી, પૂર્વ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી જતીનભાઈ હાથી પ્રમુખશ્રી ચેમ્બર ઓફ કોમર્સ, વૃક્ષારોપણની સદ્ પ્રવૃત્તિમાં જોડાયેલા ગ્રીન પોરબંદરના સભ્યો શ્રી રામદેભાઈ મોઢવાડિયા, ડૉ. આશિષ શેઠ, ડૉ. દશરથ પટેલ, શ્રી નીરવભાઈ મોનાણી, સાંદીપનિ પરિવારના અતિથિઓ, સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બૃહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વૃક્ષારોપણ ગૌસેવા, જરુરિયાતમંદોને રાશનકિટ વિતરણ જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

Did you participate in a Seva activity in your local area? Share your Seva activities to contactus@sandipani.org

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

Menu